રાજકોટ શહેર રવિવારના દિવસે પણ લોકો ઓડ ઇવન પધ્ધતિથી દુકાનો ખોલી શકશે : ઉદિત અગ્રવાલ

રાજકોટ,

રાજકોટ શહેર તા.૨૨.૫.૨૦૨૦ ના રોજ રાજકોટના મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નર ઉદિત અગ્રવાલ દ્વારા રાજકોટવાસીઓ માટે એક મહત્વની જાહેરાત કરી છે. જેમાં ઓડ-ઈવન પધ્ધતિને લઇ એક મોટી જાહેરાત કરી છે. તેની સ્પષ્ટતા કરતાં રાજકોટના મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નર ઉદિત અગ્રવાલ દ્વારા એક વિડીયો મેસેજ જાહેર કરી કહેવાયું છે કે રાજકોટમાં દરેક દુકાનો કે જે જીવન જરૂરિયાત સિવાયની છે તેને એકી તારીખે રવિવાર હોય તો એક નંબર અને બેકી તારીખ હોય તો બે નંબરની દુકાનો ખૂલશે. આ રવિવારે તા.૨૪ છે. એટલે કે વેપારીઓ બેકી નંબરની દુકાનો ખોલી શક્શે. હવેથી આવશ્ય ચીજવસ્તુઓની દુકાનોને ઓડ-ઇવન નંબરમાંથી છૂટ આપવામાં આવી છે. એટલે કે હવે આવશ્ય ચીજવસ્તુઓની તમામ દુકાનો દરરોજ ખુલી રાખવામાં આવશે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment